શાખપુર કુમાર શાળા ના ધો ૮ વિદ્યાર્થી ઓનું વિદાયમાન સમારોહ યોજાયો - At This Time

શાખપુર કુમાર શાળા ના ધો ૮ વિદ્યાર્થી ઓનું વિદાયમાન સમારોહ યોજાયો


શાખપુર કુમાર શાળા ના ધો ૮ વિદ્યાર્થી ઓનું વિદાયમાન સમારોહ યોજાયો

દામનગર ના શાખપુર આજ રોજ તારીખ ૦૨/૦૪/૨૪ ને મંગળવારના રોજ લાઠી તાલુકાની શાખપુર કુમાર શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ શુભેચ્છા સમારંભ ઉજવવામાં આવ્યો. બાળકોની વિદાયના દુઃખની સાથે સાથે તેમનુ આવનાર ભવિષ્ય ઉજવળ બને તેમ જ તમામ બાળકો શિક્ષણ ક્ષેત્રે તેમજ જીવનમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરે તે માટે શાળાના આચાર્યશ્રી નીતાબેન મેશિયા ,ઇન્ચાર્જ આચાર્ય શ્રી કાછડીયા શિલ્પાબેન ,પટેલ ચેતનભાઇ ,કચીયા દિપકભાઈ, ચાંદુ શિલ્પાબેન, સોલંકી ચેતનભાઇ તેમજ ઘોરી વિજયભાઈએ બાળકોને શુભેચ્છા પાઠવી હતી. શાળા પરિવાર તરફથી ધોરણ ૮ ના તમામ બાળકોને પાણીની બોટલની સ્મૃતિભેટ આપવામાં આવી હતી તેમજ ધોરણ ૮ ના બાળકો દ્વારા શાળાને ઘડિયાળની સ્મૃતિભેટ આપવામાં આવી હતી. શાખપુર કુમાર શાળાના મધ્યાહન ભોજનના ઓર્ગેનાઇઝર શ્રી વિમલભાઈ ઠાકર તેમજ જાગૃતિબેન ગૌસ્વામીના સહયોગથી શાળાના તમામ બાળકોને બટેટા પૌઆનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. પ્રાથમિક શાળાની યાદો કાયમ વિદ્યાર્થીને યાદ રહે તે માટે શાળા તરફથી ધોરણ 8ના તમામ વિદ્યાર્થીને પોસ્ટકાર્ડ સાઈઝ એક ગ્રુપફોટો આપવામાં આવશે.કાર્યક્રમના અંતે આઈસ્ક્રીમના કોનની મજા માણીને શાળાની મીઠી મીઠી યાદોને વાગોળીને તમામ બાળકોએ વિદાય લીધી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.