શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 87 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી - At This Time

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 87 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી


ભાવનગર સ્વ .શ્રી જીવીબા ની સ્મૃતિ માં 482 મો પ્રભુકૃપા શ્રી નવનીતભાઈ રાઠોડ ની ઉપસ્થિતિ માં શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ સ્વ.શ્રી ઝવેરભાઈ દેવજીભાઇ પટેલના સ્મરણાર્થે 483 મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ 22 માર્ચ નાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 87 દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. હિરવા બહેન પટેલ ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ 21 દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના 17 સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા. દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ 1968 થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.......

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.