રાજુલા અને જાફરાબાદ ના માછીમારોના તેમજ શિક્ષણના બે મહત્વના પ્રશ્ન બાબતે વિધાનસભામાં રજૂઆત કરતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી - At This Time

રાજુલા અને જાફરાબાદ ના માછીમારોના તેમજ શિક્ષણના બે મહત્વના પ્રશ્ન બાબતે વિધાનસભામાં રજૂઆત કરતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી


રાજુલા અને જાફરાબાદ તેમજ ખાંભા વિધાનસભાના શિક્ષણ અને માછીમારોને લગતા પ્રશ્નો બાબતે વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રજૂઆત કરી હતી

ધારાસભ્ય હીરાભાઈ સોલંકી વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરતા જણાવ્યું હતું કે તા 31/3/2023 ની રાજ્યના માછીમારોને ફિશિંગ બોટમાં ફાઇબર રોડ પર સહાય આપવાની યોજના અમલમાં છે તો મારા વિસ્તારમાં માછીમારોને કેટલી સહાય આપવામાં આવી છે જે પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં સરકાર દ્વારા યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખના 50% લેખે 50000 અથવા ખરીદ કિંમતના 50% બે માંથી જે ઓછું હોય તે 6500 અને 27 લાભાર્થીઓને 3273 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે તેઓ જવાબ વિધાનસભામાંથી આપવામાં આવ્યો હતો

તો બીજા પ્રશ્નમાં રાજુલા જાફરાબાદ અને ખાંભામાં હાલની સ્થિતિએ કેટલા શિક્ષકોની ઘટ છે તે બાબતનો પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો હતો જેમાં હાલમાં ગુજરાત સરકારે આપ જવાબ આપ્યા મુજબ રાજુલા તાલુકામાં 283 જાફરાબાદ તાલુકામાં 211 અને ખાંભા તાલુકામાં 181 શિક્ષકોની ઘટ છે તે પહેલી તકે આ તમામ જગ્યાઓ ભરી દેવામાં આવશે તેવું ગુજરાત સરકાર દ્વારા ધારાસભ્યોને વિધાનસભા પ્રશ્ન દરમિયાન જવાબ આપવામાં આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.