દૂધઈ વડવાળાદેવ મંદિરે વિદેશી મહેમાનોએ દર્શન નો લાભ લીધો. - At This Time

દૂધઈ વડવાળાદેવ મંદિરે વિદેશી મહેમાનોએ દર્શન નો લાભ લીધો.


સુરેન્દ્રનગર ના દૂધઈ ગામે વડવાળા દેવ ની જગ્યા આવેલી છે. જ્યાં આપણા સુરેન્દ્રનગર માં ફ્રાન્સ થી મહેમાનો આવેલ જેમાં સાથે સાયલા રાજમહેલ ના સેક્રેટરી મોતીલાલ સતાપરા તેમની સાથે હતા. તેમને ફ્રાન્સ ના વિદેશી મહેમાનો ને વડવાળા ધામ ની જગ્યા વિષે જણાવેલ જેથી ફ્રાન્સ ના મહેમાનોએ પણ દર્શન કરવા માટે જણાવ્યું.
દૂધઈ વડવાળાદેવ ની જગ્યામાં વિદેશી મહેમાનો એ દર્શન કર્યા બાદ માં વડવાળા જગ્યા ના પ્રતિનિધિ દ્વારા ભારતીય પરંપરા મુજબ તેમનું સ્વાગત કર્યું હતું. તથા જગ્યા ની ધાર્મિક તથા સેવાકીય પ્રવૃત્તિઓ વિષે જણાવેલ વિદેશી મહેમાનો આપણી સંસ્કૃતિ જોઈને ખુબ ખુશ થયાં હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.