શિશુવિહાર દ્વારા જરૂરિયાત મંદ શ્રમિક પરિવારોને ચંપલ વિતરણ - At This Time

શિશુવિહાર દ્વારા જરૂરિયાત મંદ શ્રમિક પરિવારોને ચંપલ વિતરણ


શિશુવિહાર દ્વારા જરૂરિયાત મંદ શ્રમિક પરિવારોને ચંપલ વિતરણ

ભાવનગર શ્રીમતી ઉષાબેન ચંદ્રવદનભાઈ શાહ પરિવાર ના સૌજન્યથી શિશુવિહાર વિસ્તાર આસપાસ રહેતા જરૂરિયાત મંદ શ્રમિક પરિવારોને ચંપલ વિતરણ કરવામાં આવ્યું.. અશકતાશ્રમ નડિયાદ થી ખાસ ભાઈઓ - બહેનો માટે માપ અનુસાર કરેલ તૈયાર કરેલ ચંપલ ઉનાળા ના પ્રારંભે અત્યંત ઉપયોગી સાધન બની રહેશે..... આ પ્રસંગે સ્વર્ગસ્થ શ્રી રમણીકભાઈ ની પુણ્ય સ્મૃતિમાં શ્રી સુશીલાબેન રમણીક લાલ મહેતા આરોગ્ય કેન્દ્ર થકી મળેલ બાળકો માટેના વિટામીન સીરપ વાલીઓને પૂરતી સમજ બાદ આપવામાં આવ્યા.. બાળ આરોગ્ય વિશે ડોક્ટર દિપ્તીબેન શાહ ના માર્ગદર્શન નીચે યોજાયેલ કાર્યક્રમમાં 225 વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓને સંસ્થા બાલમંદિર - ક્રીડાંગણ તરફથી ચા નાસ્તો પણ પીરસવામાં આવ્યો હતો ......

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.