સોસાયટીના રહીશોએ ખર્ચ કરી રાતોરાત એલઇડી લાઇટો નખાવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jj6vxaovidfdf3e2/" left="-10"]

સોસાયટીના રહીશોએ ખર્ચ કરી રાતોરાત એલઇડી લાઇટો નખાવી


મહાવીર રેસિડેન્સિમાં રહેતી નર્સ પર શુક્રવારે રાત્રે બનેલી ઘટનાથી આ વિસ્તારના લોકો ફફડી ગયા હતા, અઢી વર્ષથી મનપામાં રજૂઆત કરવા છતાં મનપાએ સ્ટ્રીટલાઇટ નહી નાખતા નરાધમે એકલી નર્સ પર હુમલો કર્યો હતો, મહાનગરપાલિકા તંત્રના ભરોસે રહીને હજુ પણ વર્ષો વીતી જાય અને અન્ય મહિલાઓ કે યુવતીઓ આવી ઘટનાનો ભોગ બને તે પહેલા મહાવીર રેસિડેન્સિના રહીશોએ પોતાના ખર્ચે રાતોરાત લાકડાના થાંભલા ઉભા કરી તેમાં એલઇડી લાઇટ ફિટ કરાવી દીધી હતી, ટેક્સ ભરવા છતાં લોકોએ પ્રાથમિક સુવિધા માટે ખર્ચ કરવો પડે તે મનપાના અધિકારીઓ અને શહેરના રાજનેતાઓ માટે શરમજનક છે તેવો આક્રોશ પણ લોકોએ વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]