કેશોદના માણેકવાડા જય મુરલીધર ગૃપ માનવ સેવા એજ પ્રભુ સેવાનો છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ - At This Time

કેશોદના માણેકવાડા જય મુરલીધર ગૃપ માનવ સેવા એજ પ્રભુ સેવાનો છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ


પાંચ વર્ષમાં ચાર જીલ્લાના સાડા અઢારસો જેટલા દર્દીઓએ મેડીકલ સાધન સહાયનો લાભ લીધો

જય મુરલીધર ગૃપ માણેકવાડા તા. ૭ .૧.૨૦૧૮થી લોક સેવા શુભારંભ કરેલ માનવ સેવા એ જ પ્રભુ સેવાના સત્રને સાકાર કરવા જય મુરલીધર ગૃપ માણેકવાડા પાંચ વર્ષથી બિમાર જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે મેડિકલ સાધન સામગ્રી આપી  રહ્યાછે પાંચ વર્ષમાં જુનાગઢ ગિર સોમનાથ પોરબંદર રાજકોટ જીલ્લા સહીતના સાડા અઢારસો જેટલા દર્દીઓએ મેડીકલ સાધન સહાયનો લાભ લીધોછે નાત જાતના ભેદભાવ વગર બિમાર જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે મેડિકલ સાધન સામગ્રી જેવી કે વોટર બેડ પાણી વાળુ ગાદલું લેટ્રીન ચેર ખુરશી એર બેડ હવાવાળું ગાદલું ગરમ પાણીની કોથળી હાઈડ્રોલીક બેડ ખાટલો વ્હીલચેર વોકર સહીતના મેડીકલ સાધન સહાય વિનામૂલ્યે મેળવવા માટે જય મુરલીધર ગૃપ માણેકવાડા કાનભાઈ વિરડા મો. ૯૮૭૯૭ ૬૪૭૬૪ નાજાભાઈ કુવાડીયા ૯૯૨૫૧ ૮૭૬૫૮ સંજય ડાંગર ૯૭૨૪૫ ૩૨૩૧૧ વિપુલ કાનગડ મો. ૭૦૪૧૫ ૬૯૮૭૧

નંબરમાં સંપર્ક કરવો પાંચ વર્ષમાં જે દાતાઓએ તન મન ધનથી સાથ સહકાર આપી રહયાછે તે બદલ જય મુરલીધર ગૃપ માણેકવાડા આભાર વ્યક્ત કરેછે 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.