વડનગર સિવિલ હોસ્પિટલ ની પાછળ આવેલ ખરવાડ વાળી માતા ના મંદિર ના પટાઆંગણમાં જ ગંદકી ના ઢગ - At This Time

વડનગર સિવિલ હોસ્પિટલ ની પાછળ આવેલ ખરવાડ વાળી માતા ના મંદિર ના પટાઆંગણમાં જ ગંદકી ના ઢગ


વડનગર ખરવાડ વાળી માતા ના મંદિર ના આગળ જ મહાકાય કચરા ને કારણે પ્રજાજનો નું આરોગ્ય જોખમ માં

વડનગર સિવિલ હોસ્પિટલ ની પાછળ આવેલ ખરવાડ વાળી માતા ના મંદિર ના પટાઆંગણમાં જ ગંદકી ના ઢગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતન આવેલી સિવિલ હોસ્પિટલ વડનગર ની પાછળ ખરવાડ વાળી માતા ના મંદિર માં દર્શન કરવા આવતી ઘર્મપ્રેમી જનતા આરોગ્ય જોખમાય રહ્યું છે તેથી ગાંધી જયંતી નિમિત્તે આજે સ્વચ્છતાને નામે મીડું દેખાય છે તો હવે જોવાનું રહ્યું કે શું આ સાફસફાઈ કયારે થશે
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે જનરલ હોસ્પિટલ ની પાછળ આવેલ ખરવાડ વાળી માતા નુ મંદિર ની દિવાલ ને અડી ને મહાકાય કચરા પેટી ની કચરો ભયંકર દુર્ગંધ મારે તેવી હાલત જોવા મળી રહી છે અને આસો સુદ એકમ થી લઇ આસો સુદ પૂનમ સુધી આ ખરવાડ વાળી માતા ના મંદિર વડનગર ધર્મ પ્રેમી જનતા દર્શન કરવા આવે છે અને માનતા ગરબા મુકવા આવે છે ત્યારે તે મંદિર ના બહાર ના ભાગ ની દિવાલ છે તેની બે ફુટ દૂર કચરાપેટી જોવા મળી છે
આ કચરા પેટી ઉપર નુ સુંદર લ ખાણ જોઈને હાસ્યાસ્પદ લાગી રહ્યું છે " મહાત્મા ગાંધી " "સ્વચ્છતા મિશન" એવું લખાણ જોવા મળ્યું છે અને આજે ગાંધી જયંતી હોવાથી વડાપ્રધાન થી લઇને દરેક રાજય સરકાર સ્વચ્છતા માટે ઝાડું લઈ ને વાળવા અને ફોટો પણ પડવા લોકો ને ગાંધી ના નામે સ્વચ્છતા અભિયાનનો ચલાવે છે પણ પોતાના ગામ ઘાર્મિક સ્થળ પર કચરો નો ઢગ હોવાથી પ્રજા જનો આરોગ્ય જોખમાય મુકાય તેવી સંભાવના છે અને તો વડનગર સિવિલ હોસ્પિટલ ની પાછળ ખરવાડ વાળી માતા ના મંદિર ની દિવાલ ને અડી કચરા પેટી માં સિવિલ હોસ્પિટલ ના જ કચરા ના નિકાલ ક્યારે થશે તે જોવાનું રહે છે ખરવાડ વાળી માતા દર્શન કરવા આતી ઘર્મપ્રેમી જનતા નું આરોગ્ય જોખમાય મૂકાઈ રહ્યું છે આરોગ્ય નુ મોટું નુકસાન થાય તો જવાબદાઓ કોણ સિવિલ હોસ્પિટલ કે વડનગર નગરપાલિકા કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ?????


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.