રાજકોટ મહાનગરપાલિકા ભીમનગર સર્કલ ખાતે આવેલ આવાસ યોજનાની ૨૩ દુકાનોની હરાજી. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા ભીમનગર સર્કલ ખાતે આવેલ આવાસ યોજનાની ૨૩ દુકાનોની હરાજી.


રાજકોટ શહેર તા.૨૯/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા નાનામવા રોડ પર ભીમનગર સર્કલ ખાતે બનાવવામાં આવેલ આવાસ યોજનાની ૨૩ દુકાનોની હરરાજી તા.૨૯-૯-૨૦૨૨ ના રોજ કરવામાં આવી હતી. તમામ દુકાનોનું હરરાજી દરમ્યાન વેંચાણ થયેલ છે. આ દુકાનોની હરરાજીથી મહાનગરપાલિકાને કુલ રૂ.૧૫.૫૮ કરોડની આવક થયેલ છે. આ હરરાજીમાં એક દુકાનની હાઈએસ્ટ કીં.રૂ.૯૧.૩૦ લાખ મળેલ છે. જેમાં અપસેટ પ્રાઈસ રૂ.૩૩.૬૦ લાખ રાખવામાં આવેલ હતી. તેમ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ જણાવેલ હતું. આ જાહેર હરરાજીમાં કુલ ૪૮૩ અરજદારોએ ભાગ લીધો હતો.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.