બાલાસિનોર ખાતે SP જાડેજાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ - At This Time

બાલાસિનોર ખાતે SP જાડેજાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ


મહીંસાગર જીલ્લાના બાલાસિનોર નગરમાં યોજાનાર ગણેત્સોવ અને ઈદે મિલાદને લઈને બાલાસિનોર શહેરના હિંદુ મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી .જેમાં મહીસાગર જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યોજનાર ગણપતિ વિસર્જન તેમજ ઈદે મિલાદને લઈને નીકળનાર ઝુલુસના તમામ રૂટનો ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.જેમા મહિસાગર જિલ્લાના એસ.પી જયદીપસિંહ જાડેજા, ડીવાયએસપી જાદવ,બાલાસિનોર ટાઉન પી આઈ આર ડી ભરવાડ, બાલાસિનોર ગ્રામ્ય પીઆઇ મુકેશ ભગોરા,તેમજ બાલાસિનોર પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.બાલાસિનોર નગરમાં યોજાનાર ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ સાથે હોવાથી ,મુસ્લિમ સમુદાય દ્વારા નીકળતા ઈદે મિલાદના ઝુલુસનો રૂટ રાજપુરી દરવાજાથી નિશાળ ચોક કરવામાં આવ્યો જ્યારે ગણપતિ વિસર્જનનો રોડ રાબેતા મુજબ રહેશે તેવું જાણવા મળે છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.