ફટકો / સપ્ટેમ્બરમાં ફરીથી રેપો રેટમાં વધારો કરી શકે છે RBI, આ વખતે આટલો થશે વધારો - At This Time

ફટકો / સપ્ટેમ્બરમાં ફરીથી રેપો રેટમાં વધારો કરી શકે છે RBI, આ વખતે આટલો થશે વધારો


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (Monetary Policy) પોલિસી રેટમાં વધારાની ગતિ ઘટાડી શકે છે. આ અભિપ્રાય ડોઇશ બેંક વતી વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડોઇશ બેંક (Deutsche Bank) નો અંદાજ છે કે રિઝર્વ બેંક (RBI) સપ્ટેમ્બરની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં એક ક્વાર્ટર ટકાનો વધારો કરી શકે છે. સેન્ટ્રલ બેંકે આ વર્ષે મેથી ઓગસ્ટ સુધી રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે. ફુગાવો રિઝર્વ બેન્કના 6 ટકાના સંતોષકારક સ્તરથી ઉપર જ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને મધ્યસ્થ બેન્કે ત્રણ તબક્કામાં પોલિસી રેટ વધારીને 1.40 ટકા કર્યા છે.

સપ્ટેમ્બર પછી વ્યાજ દરને ઘટાડશે RBI

જર્મનીના બેંકે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે અહીંથી રિઝર્વ બેન્ક વ્યાજદરમાં વધારાની ગતિ ઘટાડશે. અગાઉ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આરબીઆઈએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી હતી. આ વધારા સાથે કેન્દ્રીય બેંકે રેપો રેટને અગાઉના રેપો રેટથી ઘટાડીને 5.40 ટકા કરી દીધો છે એટલે કે કોરોના મહામારી પહેલા 5.5 ટકા હતો.

તેજીથી આગળ વધશે અર્થવ્યવસ્થા

રેપો રેટમાં વધારાની જાહેરાત કરતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા ઉચ્ચ ફુગાવા સામે લડી રહી છે અને તેને નિયંત્રણમાં લાવવી જરૂરી છે. દાસે જણાવ્યું કે મોનેટરી પોલિસી કમિટીએ ફુગાવાને કાબૂમાં રાખવા માટે નરમ નીતિના વલણને પાછું ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ નક્કી કર્યું છે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આપણી અર્થવ્વસ્થાના તેજીથી વધવાનો અંદાજ આઈએમએફથી લઈ ઘણી સંસ્થાઓએ આપ્યો છે અને આ સૌથી વધુ તેજીથી આગગળ વધશે. 

શું છે રેપો રેટ?

ઉલ્લેખનીય છે કે રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ દ્વારા બેંકને લોન આપવામાં આવે છે અને તેના આધારે બેંકો ગ્રાહકોને લોન આપે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દર છે જેના પર બેંકો તરફથી જમા રકમ પર આરબીઆઈ તેમને વ્યાજ આપે છે. આવી સ્થિતિમાં જ્યારે RBI રેપો રેટમાં વધારો કરે છે, ત્યારે બેંકો પર બોજ વધે છે અને બેંક વતી બેંક રેટમાં લોન મોંઘી થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.