રાજગૃહ બોટાદ ખાતે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time

રાજગૃહ બોટાદ ખાતે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો


રાજગૃહ બોટાદ ખાતે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો

ગઈકાલે તારીખ ૧ માર્ચ ૨૦૨૩ રાત્રે ૯ કલાકે ભારતીય બૌદ્ધ મહાસભા બોટાદ અને સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી પરેશભાઈ રાઠોડ ઉર્ફ બોધીરાજ બૌધ્ધ ના નિવાસસ્થાન રાજગૃહ કૈલાશનગર ખસ રોડ બોટાદ ખાતે ભાવનગર થી પધારેલ ક્રાન્તિકારી સંત,ગુરૂપ્રકાશ સાહેબ નો સત્સંગ સભા પ્રવચન અને લોક જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સામુહિક ત્રિશરણ પંચશીલ બુદ્ધ વંદના કરવામાં આવેલ અને અંધશ્રધ્ધા.જાતિ પ્રથા જેવી બદીઓથી બહાર આવીને મહાપુરૂષોના વિચારો સ્વિકારી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે સત્ય તરફ આગળ વધીને સારા સમાજનું નિર્માણ કરવા માટે ગુરૂ પ્રકાશે પ્રવચન આપ્યું હતું
ઉપસ્થિત. પરેશભાઈ રાઠોડ. કે.બી.બોરીચા. પ્રભાબેન રાઠોડ. વિઠ્ઠલભાઈ બોળીયા. હરેશભાઈ પરમાર. દેવજીભાઈ બોરીચા. હરેશભાઈ ચૌહાણ. વિનોદભાઈ ભાદરકા. પ્રકાશભાઈ મકવાણા. સોમાભાઈ સતવારા. રાણાભાઈ સતવારા. જયેશભાઈ પરમાર શિલ્પાબેન પરમાર. પાર્થ રાઠોડ. મિત્તલ રાઠોડ. રાધિકા રાઠોડ ડાયાભાઇ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લોક જાગૃતિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.