જસદણ વીંછિયા પંથકમાં ભાજપ સ્થાપના દિનનો ધમધમાટ: સોમવારથી મોદી પરિવાર સભાની હારમાળા - At This Time

જસદણ વીંછિયા પંથકમાં ભાજપ સ્થાપના દિનનો ધમધમાટ: સોમવારથી મોદી પરિવાર સભાની હારમાળા


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ વીંછિયા પંથકમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા આગામી ભાજપ સ્થાપના દિન અને ત્યારબાદ મોદી પરિવાર સભાની હારમાળા સર્જાશે તે અંગે ભાજપના ટોપ થી બોટમ સુધીના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ રચાયો છે ત્યારે ભાજપના કાર્યકરો રાત દીવસ ઉમેદવારના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે ત્યારે આગામી બે દિવસ પછી જસદણ વિછિયા પંથક જીલ્લાના આદેશ મુજબ કાર્યક્રમોની વણઝારમાં વ્યસ્ત રહેશે દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ એક યાદીમાં જણાવ્યું હતું કે આગામી તા.૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન છે ત્યારે એમાં દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીની ચાવીરૂપ ભૂમિકા છે એને આવનારી પેઢી પણ યાદ કરશે વડા પ્રધાન નરેન્દ્રભાઈના કારણે વિશ્વમાં ભારતની એક અલગ જ છબી ઉભરી છે અમેરિકા થી રશિયા સુધી દરેક દેશોની નજરમાં આપણા દેશનો એક અનોખો જ આદર છે ભુતકાળમાં બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પએ મિત્રતાનું એક અલગ જ ઉદાહરણો રજુ કર્યા જ છે ત્યારે ભાજપ સ્થાપના દિનની ઉજવણી થવાની છે તે નિમીત્તે અત્યાર સુધીના દરેકને અમો હદયપૂર્વક યાદ કરીશું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.