વિશ્વ માતૃભાષા દિવસની ઉત્સાહ ભેર ઉજવણી
ગુજરાત સાહિત્ય અકાદમી , ગાંધીનગર , મોડાસા કેળવણી મંડળ ,મોડાસા તથા આનંદાલયના સર્જનનો આનંદ અને આનંદના સર્જનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
મોડાસા કેળવણી મંડળ સંચાલિત સંસ્થામાં માતૃભાષા મહોત્સવ મળી માતૃભાષા મને ગુજરાતી કાર્યક્રમ અંતર્ગત ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માતૃભાષા મહોત્સવના પ્રેરણા ડૉ. ભાગ્યેશ જર્હા,નિમંત્રક મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી મુખ્ય અતિથિ બિપીનકાકાના સતત માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો.
વક્તા શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિએ વિશ્વમાં બોલાતી ૭૦૦૦ ભાષાઓ અને કેટલીક ભાષાઓ લુપ્ત થતી જય છે.અનેક નાના નાં દેશો પણ પોતાની માતૃભાષામાં જ શિક્ષણ તથા વ્યવહારમાં ઉપયોગ કરે છે. ત્યારે આપણે પણ ગુજરાતી આપણી માતૃભાષાનું ગર્વ અને ગૌરવ હોવું જોઈએ. વક્તા શ્રી ડૉ . રાકેશ પ્રજાપતિએ પણ ગુજરાતી દુહાથી વક્તવ્યની શરૂઆત કરી બાળકોને માતૃભાષા જીવનમાં શા માટે જરૂરી છે? તેના વિશે વિચારો રજૂ કર્યા. મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રીએ પણ માતૃભાષા થકી આપણે મુકામ સુધી પહોંચી શકીએ છીએ તે સંદેશો બાળકોને આપ્યો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ કૉ ઓર્ડીનેટર ઉપપ્રમુખ મોડાસા કેળવણી મંડળ કૃષ્ણજીવન એમ.શાહ , ડૉ રાકેશભાઈ મહેતા , કેળવણી મંડળના માનદમંત્રી શ્રી ધીરુભાઈ પ્રજાપતિ , કે.કે શાહ , સર્વોદય હાઇસ્કૂલ ના પ્રિન્સીપાલ મયંકભાઈ ભટ્ટ , મંડળ સંચાલિત ત્રણેય શાળાના સ્ટાફમિત્રો , વિદ્યાર્થીઓ સૌ જોડાયા. શ્રી કલ્પેશભાઈ બારોટ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને માતૃભાષા ગૌરવ ગાનથી કરવામાં આવી. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. બાદમાં મુખ્યમંત્રીશ્રીનો માતૃભાષા મહોત્સવનો શુભેરછા સંદેશની વીડિયો પ્રસ્તુતિ કરાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમના સંયોજક શ્રીમતી સેજલબેન ઠેકડી , ઇલાબેન વ્યાસને સમગ્ર કેળવણી મંડળ તથા બાળકોએ અભિનંદન પાઠવ્યા. દસ દિવસની કાર્યશાળાના પ્રતિભાવો બાળકોએ રજૂ કર્યા. માતૃભાષા સજ્જતા સંવર્ધન કાર્યશાળાના વક્તા અને સહભાગી થનાર દરેકને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા.કાર્યક્રમના અંતે શ્રીમતી છાયાબેન ઉપાધ્યાયે આભાર વ્યકત કર્યો .
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા.
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે
