બોટાદ BAPS મંદિર ખાતે પત્રકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. - At This Time

બોટાદ BAPS મંદિર ખાતે પત્રકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.


બોટાદ BAPS મંદિર ખાતે પત્રકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે બોટાદ જિલ્લા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

બીજાના ભલામાં આપણું ભલું જેઓનો જીવન મંત્ર હતો એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રેરણાથી બોટાદ શહેર ના ભાવનગર રોડ, પ્રમુખસ્વામી માર્ગ સ્થિત બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે બોટાદ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્ર કારોનો 30 ઓગસ્ટ 2022 ને મંગળવાર રાત્રિ ના 7-30 થી 8-30 દરમિયાન સ્નેહમિલન કાર્ય ક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સારંગપુરના વક્તા પૂ. જ્ઞાન વિજયસ્વામી એ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ના જીવન જરમર ની ઝાંખી કરાવી હતી. તેમજ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા જ્ઞાતિ જાતીના ભેદ ભાવ વગર સમગ્ર ગુજરાત સહિત દેશ અને દુનિ યાના 52 દેશોમાં હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યોની તલસ્પર્શી માહિતી આપેલ. આ પ્રસંગે બોટાદ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ના મિત્રો સહિત આર. ડી. જીવાણી ભદ્રેશભાઈ મણીયાર, હાર્દિકભાઈ પારેખ સહિત વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.