સાયલા ખાતે વેપારી મહામંડળનું વાર્ષિક સ્નેહમિલન યોજાયું - At This Time

સાયલા ખાતે વેપારી મહામંડળનું વાર્ષિક સ્નેહમિલન યોજાયું


સાયલા વેપારી મહામંડળ દ્વારા દરવર્ષે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષના સ્નેહમિલન માં વેપારી મંડળ ની એકતા ભાઈચારો વધે તે હેતુ થી સાયલાના તમામ વેપારી મિત્રોને સ્નેહમિલન માં ઉપસ્થિત રહ્યા હતા. સાયલા વેપારી મંડળને હાલ ચોવીસ વર્ષ થયાં છે. મહત્વની વાત એ છે કે ચોવીસ વર્ષ થી વેપારી મહામંડળ ના પ્રમુખ તરીકે સર્વાનુમતે મનુભાઇ સિંધવ તથા મંત્રી તરીકે રજનીભાઈ ડગલી જવાબદારી નિભાવી રહ્યા છે. તથા નવા મંત્રી - મહામંત્રી, ઉપપ્રમુખ, તથા કારોબારી સભ્યની નિમણુંક કરાઈ. આવેલ મહેમાનો સાયલા સરપંચ અજયરાજસિંહ ઝાલા , સાયલા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ પ્રમુખ જીતુભાઈ શાહ તથા વેપારીએસોસિઅન હોદ્દેદારો તથા પત્રકારો ને ફુલહાર તથા સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.
સાયલા તાલુકામાં અનેકગામો માં સેવાકીય પ્રવુતિ માટે લોકોને ઉત્સાહ વધે માટે એવા સેવાકીય ભાઈઓને પણ સન્માનિત કર્યા હતા. જેમાં સુદામડા ગામમાં હિન્દુ - મુસ્લિમ એકતાનું પ્રતીક સમાન બે યુવા મિત્રો ફારૂકભાઈ પાયક તથા વિજયભાઈ ગલચર દ્વારા તેમના માતૃશ્રી ની પુણ્યતિથિ નિમિતે નેત્ર નિદાન કેમ્પ કરાયો હતો. તેમને સન્માનિત કર્યા, વધુમાં સુદામડા ગામમાં બજરંગ મંડળના પ્રમુખ તથા કુતરાઓનું રંઘાડુ કાયમ ચલાવતા સેવાભાવી લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સાયલા ના સરપંચ અજયરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે સાયલા માં હાલમાં પૂરતા પ્રમાણ માં પાણી મળી રહે છે. એવા સમયમાં વધારાનું પાણીનો બગાડ ના થાય એવી કાળજી રાખવા ગામ લોકોને જણાવ્યું હતું.વધુમાં સાયલા મહાજન પાંજરાપોળ માં હાલમાં બે-હજાર થી વધુ પશુઓ આશ્રય લઈ રહ્યા છે. જેમનો નિભાવ ખર્ચ પણ અતિશય છે. જે હાલમાં મુશ્કેલી સમાન છે. જેથી ટ્રસ્ટ ના પ્રમુખ જીતુભાઈ શાહ દ્વારા સાયલા ના તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને યોગ્ય સહયોગ આપવા જણાવ્યું હતું.હાલનો પાંજરાપોળ નો વિકાસ ખુબ સરસ થઈ રહ્યો છે.
વેપારી મંડળ ના પ્રમુખ મનુભાઈ સિંધવ દ્વારા પાંજરાપોળ માં 11000/- રૂપિયા તથા કુતરાઓના રંઘાડા માં 5100/-રૂપિયા નું અનુદાન કરેલ બાદમાં ભગતસિંહ ડોડીયા, રજનીભાઈ શાહ (ડગલી), ફારૂકભાઈ પાયક તથા અન્ય સેવાભાવી લોકોએ અનુદાન આપ્યું હતું.
સાયલા વેપારી મંડળમાં મનુભાઈ સિંધવ -પ્રમુખ, રજનીભાઈ ડગલી - મહામંત્રી, ગોવિંદભાઈ પટેલ -મંત્રી, વિષ્ણુભાઈ પટેલ - ઉપપ્રમુખ, અહમદભાઈ પાયક - ઉપપ્રમુખ,સુરેશભાઈ કાશીપરાવાળા - ઉપપ્રમુખ, રમેશભાઈ સોનગરા - ખજાનચી, તથા કારોબારી સભ્યો માં લાલજીભાઈ પટેલ (વડોદવાળા ), કાંતિલાલ પુનાણી, જયરાજસિંહ ડોડીયા, રૂપેશભાઈ શાહ, ધવલભાઈ પ્રજાપતિ, રાજુભાઈ કુકડીયા, વિપુલભાઈ દવે, મોન્ટુભાઈ શેઠ, ની નિમણુંક કરવામાં આવી હતી.
સ્નેહમિલન મિલન કાર્યક્રમનું સુંદર સંચાલન નારસંગભાઈ સિંધવ તથા દીપકભાઈ કચ્છી દ્વારા જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.