મહીસાગર નદી ઉપર આવેલ ઘોડિયાર બ્રિજ પરથી કૂદીને મહિસાગર નદીમાં પ્રેમી પંખીડાની આત્મહત્યા. - At This Time

મહીસાગર નદી ઉપર આવેલ ઘોડિયાર બ્રિજ પરથી કૂદીને મહિસાગર નદીમાં પ્રેમી પંખીડાની આત્મહત્યા.


મહીસાગર નદી ઉપર આવેલ ઘોડિયાર બ્રિજ પરથી કૂદી ને મહિસાગર નદીમાં પ્રેમી પંખીડાની આત્મહત્યા

મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ઘોડિયાર પુલ ઉપરથી સોમવારે રાત્રે બિનવારસી હાલતમાં બાઇક અને ચંપલ મળી આવ્યા હતા જેથી પોલીસને કોઈએ નદીમાં ઝંપલાવ્યું હોવાની શંકા જતા કડાણા દ્વારા મંગળવારે વહેલી સવારથી સ્થાનિક તરવૈયા ઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં SDRF ગોધરાની ટીમની મદદ પણ લેવામાં આવી હતી ત્યારે 36 કલાક બાદ બુધવારે વહેલી સવારે SDRF ટીમને યુવક અને યુવતીની ઓઢણી બાંધેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ દ્વારા લગાવવામાં આવેલ અનુમાન હકીકતમાં ફેરવાઇ ગયું હતું જ્યારે બંને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા બાદ યુવક અને યુવતી ના પરિવારને ઓળખ માટે કડાણા ખાતે બોલાવતા લુણાવાડા તાલુકાના ગાભલાવાડા ગામના હોવાનું જાણવા મળ્યું હતું જેમા યુવક નું નામ સુનીલ કુમાર ઉદા ભાઈ ખાંટ અને યુવતીનું નામ જલપા બેન વિનુ ભાઈ બારીયા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે નદીમાંથી મળેલ યુવક-યુવતીના મૃતદેહના હાથ અને કમર ઓઢણી થી એકબીજા સાથે બાંધેલા હોવાથી પ્રેમપ્રકરણમાં આપઘાત કર્યો હોવાની પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરી મૃતદેહ ને કડાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પી.એમ. બાદ યુવક અને યુવતી ની લાશ તેમના પરિવારને શોપીં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.