ઉમરાળા ગામે ધારા સખી મંડળ દ્વારા ખાદી ભંડારનુ જિલ્લા નિયામક જયશ્રીબેન જરૂ ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયુ - At This Time

ઉમરાળા ગામે ધારા સખી મંડળ દ્વારા ખાદી ભંડારનુ જિલ્લા નિયામક જયશ્રીબેન જરૂ ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયુ


ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઉમરાળા ખાતે ધારા સખી મંડળ સંચાલિત ખાદી ભંડારનું જિલ્લા નિયામક જયશ્રીબેન જરૂ ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ આ ઉદઘાટન કાર્યક્રમમાં ઉમરાળા મામલતદાર પ્રશાંત ભીંડી,TDO પી.જી.મકવાણા તેમજ ટી.એલ.એમ.યોગેશ કુવાડિયા અને ઉમરાળા ગ્રામ પંચાયત સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ સહિતની ઉપસ્થિત હાજર રહ્યા હતા સખી મંડળના બહેનોને આર્થિક રીતે પગભર થવા માટે મિશન મંગલમ (N.R.L.M) યોજના દ્વારા જરૂરી સહાય પૂરી પાડીને ગામડાંની બહેનોને આર્થિક રીતે પગભર બનાવવા અને તેમાં પોષણક્ષમ ભાવો તેમજ યોગ્ય બજાર મળી રહે તેવા હેતુસર ઉમરાળા તાલુકામાં સૌપ્રથમ ધારા સખી મંડળ દ્વારા શરૂઆત કરવામાં આવેલ જે થકી બેહનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.