સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ


શ્રી સરસ્વતી શિશુવાટીકા/ પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી નવરાત્રિના પાવનપર્વ હોવાથી નવદુર્ગા, નવશક્તિને ભજવાની પવિત્ર નવરાત્રી હોવાથી સાતમા નોરતે શ્રીસરસ્વતી શિશુ વાટિકાના બાળકો તેમજ પ્રાથમિક ધોરણના બાળકો તેમજ દીદી,ગુરુજી નવારંગ રૂપમાં નવલા વસ્ત્રોમાં ચણિયાચોળી,કેડિયું સાંસ્કૃતિક ટ્રેડિશનલ ડ્રેસમાં સજજ થઈને નવરાત્રીના પાવન પ્રસંગે ઉપસ્થિત રહ્યા બાળકો રંગબેરંગી દાંડીયા લઈને નવલા ગરબે રમ્યા હતા એકતાળી,ત્રણતાળી,ટીટોડા જેવા રાસ રમીને બાળકો તેમજ દીદી,ગુરુજી રાસ ગરબા રમીને નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી નવરાત્રી મહોત્સવને પ્રધાનાચાર્ય શ્રી હસમુખગુરુજી તથા સહપ્રધાનાચાર્ય શ્રીરાજેન્દ્ર ગુરુજી તથા શ્રીસરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ પરિવાર દ્વારા સફળ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.