મહીસાગર જિલ્લામાં ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત ન થવાનુ જાહેરનામુ - At This Time

મહીસાગર જિલ્લામાં ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત ન થવાનુ જાહેરનામુ


જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તથા વિક્ષેપો ઉભા થાય નહી તે જરૂરી જણાતુ હોઇ તેમજ ચૂંટણીના સરળ સંચાલન માટે જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવો આવશ્યક પગલા લેવા જરૂરી જણાય છે.
જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવીન પંડયાએ સમગ્ર મહીસાગર જિલ્લામાં તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અધિકૃત અને સમક્ષ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરઘસ કાઢવું નહીં. સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે ગ્રામ્ય વિસ્તારોમાં જે તે મતદાર, વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદારશ્રીને તેમજ શહેરી/નગરપાલિકા વિસ્તારમાં સબંધિત ચૂંટણી અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીને અધિકૃત કરવામાં આવે છે.
ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તેવા વ્યક્તિને અને કોઇ સ્મશાન યાત્રાને. આ હુકમ લાગુ પડશે નહી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.