રાજકોટ શહેરમાં ઉતારો લેનાર મુસાફરોની ઓનલાઈન પેાર્ટલ પર એન્ટ્રી કરવાના હુકમો કરતા પેાલીસ કમિશનર રાજુ ભાર્ગવ - At This Time

રાજકોટ શહેરમાં ઉતારો લેનાર મુસાફરોની ઓનલાઈન પેાર્ટલ પર એન્ટ્રી કરવાના હુકમો કરતા પેાલીસ કમિશનર રાજુ ભાર્ગવ


રાજકોટ:ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વો શહેરના વિસ્તારમાં આવેલા હોટલ, લોજ, બોર્ડીંગ, ઘર્મશાળા તથા મુસાફરખાનાઓમાં ગૃપ્ત રીતે આશરો લેતા હોય છે. ભીડભાડવાળી જગ્યાની માહિતી મેળવી દેશ વિરોધી કૃત્યને અંજામ આપે છે. જે બાબતને ધ્યાનમાં લઈ રાજકોટ પેાલીસ કમિશનર રાજુ ભાર્ગવે જારી કરેલા હુકમો મુજબ હોટલ, લોજ સહીતના માલીકોએ તેમને ત્યાં આશરો લેતા વ્યક્તિઓના રજિસ્ટ્રેશન રાજકોટના એસ.ઓ.જી શાખાની ઓફીસમાં કરાવી તેના યુઝર આડી, પાસવર્ડ મેળવી લેવાના રહેશે. જે અંતર્ગત રોકાણ અર્થે આવેલ દરેક વ્યકિતની જાણ ૨૪ કલાકમાં ઓનલાઈન પેાર્ટલ https:\pathik.guru માં આશ્રય આપનાર માલીકને ફરજીયાતપણે કરવાની રહેશે. આ ઉપરાંત રોજબરોજની સમરી રીપોર્ટ અને મુસાફરના આઈ. ડી. પ્રુફની નકલ તથા સી ફોર્મની હાર્ડકોપી નિયમીત ધોરણે જનરેટ કરી ફાઈલ બનાવી રેકર્ડમાં રાખવાની રહેશે. આ ઉપરાંત રોકાયેલા મુસાફરોની મુલાકાત માટે આવેલ ઈસમોના નામ, ફોન નં, અસલ ફોટો આઈ ડી, ચેક કરવાના રહેશે.
વિદેશી કે પરપ્રાંતીય મુસાફરો કઈ જગ્યાએથી અને શા માટે રાજકોટ શહેરમાં ઉતર્યા છે તેની માહિતી મેળવી, તેમના નંબરની ખરાઈ કરી શંકાસ્પદ હીલચાલ જણાતા પેાલીસ કંટ્રોલ રૂમને તેની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત ત્રણ માસ સુધીની સીસીટીવી ફુટેજ રાખવાના રહેશે. ટેકનોલોજીમાં આવેલ ખામીને કારણે જો એન્ટ્રી કરવામાં સમસ્યા સર્જાય તો તે અંગેની જાણ રાજકોટ એસ.ઓજી ને કરવાની રહેશે. આ આદેશોનો અમલ તા. ૩૧ ઓકટોબર સુધી કરવાનો રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.