વિંછીયામા સર્વ સમાજના આગૅવાનૉ ગ્રામજનૉ સાથૅ બૅઠક યૉજતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા વિવિધ પ્રશ્નૉ ના ઉકૅલની ખાતરી આપી - At This Time

વિંછીયામા સર્વ સમાજના આગૅવાનૉ ગ્રામજનૉ સાથૅ બૅઠક યૉજતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા વિવિધ પ્રશ્નૉ ના ઉકૅલની ખાતરી આપી


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ વિછીયાના ધારાસભ્ય અનૅ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા શહેરના ગ્રામજનો વેપારીઓ અને સર્વ સમાજના અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી,દરજી સમાજની વાડી ખાતે યોજાયેલ શુભેચ્છા મુલાકાત સમરોહમાં સર્વે સમાજનાં અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા આતકૅ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નુ ગ્રામજનોએ અદકેરૂ સન્માન કર્યુ હતું કાર્યક્રમમા વિંછીયા શહેરના વિવિધ પ્રશ્નો સરકારી આરોગ્ય કેન્દ્ર,રોડ રસ્તાં,વિજળી,પીવાના પાણી,વિંછીયા ભાવનગર એસ ટી બસ શરૂ કરાવવા,વરસાદના પાણીના નિકાલની સમસ્યા,ખોડીયારપરાના મુખ્ય રસ્તાના કાયમી ઉકેલ સહિતના પ્રશ્નોની યોગ્ય રજૂઆત હાજર અગ્રણીઓ દ્વારા કરાઇ હતી જેના સત્વરે ઉકેલની ખાતરી અને વિંછીયા શહેરને હરિયાળું બનાવવા કુંવરજીભાઈ બાવળીયાએ ખાત્રી આપી હતી કાર્યક્રમમા હાજર સામાજિક અગ્રણી વિનોદભાઈ વાલાણીએ વિંછીયા સરકારી હોસ્પિટલમાં કાયમી ગાયનેક ડોકટરની નિમણુક કરી સુવિધામાં વધારો કરવા રજુઆત કરી હતી ઉલ્લેખનીય છે કે એક માસ અગાઉ વિંછીયા સરકારી હોસ્પિટલમાં સુવિધાના અભાવે અને ડોકટરની બેદરકારીને લીધે પ્રસુતાનું મૃત્યુ થયાના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા, કાર્યક્રમમા વિંછીયા સરપંચ ચતુરભાઈ રાજપરા,પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી, બિપીનભાઈ જસાણી,ઘનશ્યામભાઈ રોજસરા,અનિલભાઈ બરછા, વલભભાઈ ઝાપડીયા,પી ડી ગીગાણી,માવજીભાઈ તલસાણીયા,અલીભાઈ કપાસી વગેરે હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.