તાલુકા કક્ષાની ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન શાન સાથે અલમપર ગામે યોજાઈ - At This Time

તાલુકા કક્ષાની ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન શાન સાથે અલમપર ગામે યોજાઈ


*ઉમરાળા મામલતદાર પ્રશાંતકુમાર અને Psi ભલગરીયા એ રાષ્ટ્રધ્વજને આપી સલામી*

ઉમરાળા તાલુકા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમ અલમપર ગામે યોજાયો જેમાં ઉમરાળા મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી ના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી Psi એમ.આર.ભલગરીયા,THO કામળીયા,ઉમરાળા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મોહનભાઈ માંગુકિયા,ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ આહીર,ક્ષત્રીય સમાજ પ્રમુખ કીર્તિસિંહ ગોહિલ BDC બેંક ડિરેક્ટર રસિકભાઈ ભિંરાડીયા,ભાજપ અગ્રણી નરેશભાઈ સોલંકી તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો અને પદા અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થી બાળકો દ્વારા વિવિધ અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ ઉમરાળા પોલીસ અધિકારી એમ.આર.ભલગરીયા અને પોલીસ સ્ટાફ સાથે હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ યોજાઇ હતી અને સરાહનીય કામગીરી કરનાર દરેક કર્મચારીઓનું મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી Psi ભલગરીયા અને રાજકીય આગેવાનો સહિતના હસ્તે સન્માનિત કરી બહુમાન કરાયુ હતુ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉમરાળા તાલુકા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.