વિરપુર તાલુકાના ઉમરીયા થી દાંતલાને જોડતા મુખ્ય માર્ગ પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ... - At This Time

વિરપુર તાલુકાના ઉમરીયા થી દાંતલાને જોડતા મુખ્ય માર્ગ પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ…


મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ઉમરીયાથી દાંતલાને જોડતો મુખ્ય માર્ગ પર પાણીની પાઈપલાઈનમા ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો છે ત્યારે મળતી વિગતો અનુસાર ઉમરીયાથી દાંતલાને જોડતો મુખ્ય નવીન માર્ગ એક વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો જે માર્ગ બનાવ્યા પછી પાણી પુરવઠા વિભાગ દ્વારા નવીન રોડ પર ખોદકામ કરી પાઈપલાઈન નાખવામાં આવી હતી જે પાઈપ લાઈનમાં એક માસથી વધુ સમયથી ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વ્યય થતો છે ત્યારે આ બાબતે સ્થાનિકોએ પાણી પુરવઠા વિભાગ રજુઆત કરી હોવા છતાં પાઈપ લાઈનનુ રીપેરીંગ કરવામાં આવતું નથી તો બીજી તરફ હાલ ધમધમતા ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ગંભીર પ્રશ્ન ઉભો થયો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારીના પગલે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે ત્યારે આવનાર દિવસોમાં પાઈપ લાઈનનુ રીપેરીંગ કરવામાં આવે અને વ્યય થતાં પાણીને અટકાવવામાં આવે તેવી સ્થાનીકોની માંગ ઉઠી છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.