મોટા દડવામાં નવ નિર્મિત સ્વામિનારાયણ મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ - At This Time

મોટા દડવામાં નવ નિર્મિત સ્વામિનારાયણ મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ


ગોંડલ તાલુકાના મોટા દડવા ખાતે નવનિર્માણ થયેલ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.બીએપીએસ સંસ્થા દ્વારા અને મહંત સ્વામીની આજ્ઞાથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાળંગપુર મંદિરથી જ્ઞાનેશ્વર સ્વામી ગોંડલ થી દિવ્ય પુરુષદાસ સ્વામી,અમળત ચરણદાસ સ્વામી ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં શણગારેલા ઘોડા ટ્રેક્ટર સહિત ગાડીઓની હાર માળા જોડાઈ હતી શોભાયાત્રા સાથે વિશ્વ શાંતિ યજ્ઞ તેમજ સાંસ્કળતિક કાર્યક્રમ યોજાયા હતા જેમાં હરિભક્તો ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા. આ પ્રસંગે સરપંચ ભુપતભાઈ વાળા, ઉપસરપંચ મનુભાઈ લાવડીયા, આગેવાન ગિરધરભાઈ વેકરીયા, નરેન્દ્રભાઈ ભુવા, વજુભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.