છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં વૃદ્ધા પર સંદીપ પરમારનો છરી સાથે હુમલો, ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં દાખલ - At This Time

છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં વૃદ્ધા પર સંદીપ પરમારનો છરી સાથે હુમલો, ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં દાખલ


શહેરની છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં વૃદ્ધા પર સંદીપ પરમાર નામના શખ્સે છરી સાથે હુમલો કર્યાનો આક્ષેપ કરાયો છે. ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં પ્ર. નગર પોલીસે નિવેદન નોંધી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. નાના બાળકોનો ઝઘડો થયો તેમાં આરોપી છરી લઈ ઘરના દરવાજે ધસી આવ્યાનો આરોપ લગાવ્યો છે.
નિરુબેન અનિલભાઈ અગ્રાવત (રહે. છત્રપતિ શિવાજી ટાઉનશીપ, રેલનગર)ને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમના પતિ અનિલભાઈ અને પુત્ર ચિરાગે જણાવ્યા મુજબ, તેમની ટાઉનશીપમાં જ સંદીપ ચીમનલાલ પરમાર, તેમના પત્ની ખુશ્બુબેન રહે છે. બાળકો ટાઉનશીપમાં રમતા હતા ત્યારે બાળકો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાબતે નિરુબેન અને ખુશ્બુબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ થોડા સમય પછી ખુશ્બુબેનનો પતિ સંદીપ છરી લઈ નિરુબેનના ફ્લેટના દરવાજે ઘસી ગયો હતો.
નિરુબેન ઉપર છરીથી હુમલો કરવા જતાં જેમ તેમ કરી નિરુબેને પોતાનો બચાવ કર્યો હતો. પણ તેમને મૂંઢ માર લાગ્યો હતો. સંદીપ અપશબ્દો બોલતો હતો. વધુ માર મારે તે પહેલાં નિરુબેને પોતાના ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો હતો. પોલીસમાં આની જાણ કરી નિરુબેનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આક્ષેપો અંગે પ્ર. નગર પોલીસે નિવેદન લીધું છે અને ફરીયાદ નોંધવા તજવીજ થઈ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.