ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર કડીયાળી ગામ નજીક 2 બાઇક સામ સામે અથડાયા પત્નીની નજર સામે પતિ સહિત 2 વ્યક્તિના મોત - At This Time

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર કડીયાળી ગામ નજીક 2 બાઇક સામ સામે અથડાયા પત્નીની નજર સામે પતિ સહિત 2 વ્યક્તિના મોત


ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર કડીયાળી ગામ નજીક 2 બાઇક સામ સામે અથડાયા પત્નીની નજર સામે પતિ સહિત 2 વ્યક્તિના મોત

મહિલા ઇજાગ્રસ્ત રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ પંથક માંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પસાર થાય છે રાજુલા તાલુકાના કડીયાળી ગામ નજીક બે બાઈક પુર પાટ સ્પીડે આવતા બંને સામે સામે અથડાય અકસ્માત સર્જતા પીપાવાવ મરીન પોલીસની ટીમ ઘટના સ્થળે પોહચી ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ખાંભા રાજુલા વિકટરની 3 એમ્બ્યુલન્સ દોડી જેમાં 2 વ્યક્તિના ઘટના અકસ્માતમાં મોત થયા 1 મહિલા ઇજાગ્રસ્ત થઈ બંને બાઇક ચાલકો રાજુલા તાલુકાના ખેરા ગામના રહેવાસીઓ હતા હાલ મૃતકોની લાશ અને ઇજાગ્રસ્ત મહિલાને રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઇજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ ખસેડાય અને મૃતકની પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંનેના મોત થતા પરિવાર જનોમાં શોકનો માહોલ છવાયો છે. પીપાવાવ મરીન પોલીસએ તપાસ શરૂ કરી અકસ્માત કેવી રીતે સર્જ્યો તે તપાસ નો વિષય તમામ લોકો રાજુલા તાલુકાના ખેરા ગામના રેહવાસી હોવાનું જાણવા મળ્યું કડીયાળી નજીક બંને બાઇક સવારો વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમા કાનજીભાઈ નારણભાઈ બારૈયા ઉ.60નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પત્ની માયાબેન કાનજીભાઈને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાય છે સામે બાઇક સવાર પુનાભાઈ ભાયાભાઈ ગુજરીયા ઉ.30 નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે અકસ્માતની ઘટનામાં 2 વ્યક્તિના મોત નિપજ્યા છે જેમાં ઇજાગ્રસ્ત મહિલા પત્ની માયાબેનની નજર સામે તેમના પતિ કાનજીભાઈ નું મોત થતા પરિવારમાં શોકમય માહોલ સર્જાયો છે
ભાવનગર સોમનાથ રોડ પર અવારનવાર આવા અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે એનું મુખ્ય કારણ હાઇવે ની ભદ્રકાળી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.