રાજકોટ મેયરની કારમાં સાયરનનેલઈવિવાદ કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાનું નિવેદન નેતાઓ મોલો પાડવા માટે સાયરન લગાવે છે
રાજકોટ મનપાના પદાધિકારીઓની કાર પરના સાયરન મામલે વિવાદ : પક્ષ અને વિપક્ષ આમને સામને!
રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની કારમાં સાયરન લગાવવા મુદ્દે ભારે વિવાદ થયો હતો,
જે બાદ બે RTI એક્ટિવિસ્ટે આરટીઓ પાસે આ મુદ્દે આરટીઆઇ કરી માહિતી માગી હતી
જેમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલી ઇમર્જન્સી સેવા સાથે સંકળાયેલા વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, બચાવ કામગીરીમાં સંકળાયેલા વાહનો તેમજ પોલીસ વાહનોમાં જ સાયરન લગાવવાની જોગવાઇ છે.
જેની સાથે રાજ્યસભામાં પણ અપાયેલી એક માહિતીમાં સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ રૂલ્સ-1989 મુજબ પોલીસ વાન, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડી સિવાય અન્ય કોઇ વાહનમાં સાયરન લગાવી શકાય નહીં તેવી માહિતી આપવામાં આવી હતી
જે મામલે વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા,
મેયર નયનાબેન પેઢડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, પદાધિકારીઓને ગાડી આપવામાં આવી ત્યારે સાયરન હતું. જો નિયમમાં ફેરફાર હશે તો દૂર કરવામાં આવશે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
