મોદીએ શા માટે સુધા મૂર્તિનો આભાર માન્યો:રાજ્યસભામાં PMએ એવું તો શું કહ્યું કે સુધા મૂર્તિ હાથ જોડીને ખુરસી પરથી ઊભાં થઈ ગયાં - At This Time

મોદીએ શા માટે સુધા મૂર્તિનો આભાર માન્યો:રાજ્યસભામાં PMએ એવું તો શું કહ્યું કે સુધા મૂર્તિ હાથ જોડીને ખુરસી પરથી ઊભાં થઈ ગયાં


આજે લોકસભા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાને છેલ્લાં 10 વર્ષમાં તેમની સરકારની ઉપલબ્ધિઓ સિવાય વિપક્ષ પર પણ પ્રહારો કર્યા. મોદીએ પોતાના ભાષણમાં ઈન્ફોસિસના સીઇઓ નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિનો પણ ઉલ્લેખ કર્યો. સુધા મૂર્તિએ મંગળવારે પોતાના ભાષણમાં મહિલાઓના કેન્સર સહિત બે મુદ્દા ઉઠાવ્યા હતા. આ અંગે આજે પીએમ મોદીએ ગૃહમાં તેમનો આભાર માન્યો હતો. સુધા મૂર્તિનો શા માટે PM મોદીએ આભાર માન્યો
રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિએ પોતાના પહેલા જ ભાષણમાં બે મહત્ત્વના મુદ્દા ઉઠાવ્યા હતા. આ મુદ્દાઓનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે 2 જુલાઈના તેમના ભાષણમાં તેમણે સરકાર દ્વારા પ્રાયોજિત રસીકરણ કાર્યક્રમની હિમાયત કરી હતી. મોદીએ કહ્યું હતું કે સુધાજીએ ગઈકાલે રાજ્યસભામાં મહિલાઓમાં વધી રહેલા સર્વાઇકલ કેન્સર અને એની જાગૃતિ વિશે વાત કરી હતી. આ માટે હું તેમનો આભાર માનું છું. સુધા મૂર્તિએ ગઈકાલે રાજ્યસભામાં શું કહ્યું હતું?
રાજ્યસભામાં પ્રથમ વખત બોલતાં સુધા મૂર્તિએ તેમના ભાષણમાં મનુ સ્મૃતિનો એક પ્રખ્યાત શ્લોક સંભળાવ્યો. તેમણે કહ્યું હતું કે યત્ર નર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા, યત્રિતાસ્તુ ન પૂજ્યન્તે સર્વસ્તત્રફલા: ક્રિયા:. સુધા મૂર્તિએ આનો અર્થ જણાવતાં કહ્યું કે જ્યાં મહિલાઓનું સન્માન થાય છે ત્યાં દેવત્વ ખીલે છે અને જ્યાં મહિલાઓનો અનાદર થાય છે ત્યાં બધી ક્રિયાઓ ભલે ગમે એટલી મોટી હોય, નિષ્ફળ રહે છે. સુધા મૂર્તિએ કહ્યું હતું કે જો કોઈપણ પરિવારમાં માતા જતી રહે તો તેના માટે કોઈ વળતર મળતું નથી. આજે પીએમ મોદીએ તેનો ઉલ્લેખ કર્યો. સાંસદ સુધા મૂર્તિએ કહ્યું હતું કે કોરોનાના સમયગાળા દરમિયાન રસીકરણની જેમ મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર માટે રસીકરણ અભિયાન ચલાવવું જોઈએ. મૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓમાં આ રોગના કેસ ઝડપથી વધી રહ્યા છે અને એને રોકવા માટે કિશોરાવસ્થા દરમિયાન રસીકરણની વ્યવસ્થા કરવી જોઈએ. દેશનાં અજાણ્યા પ્રવાસન સ્થળોના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ
દેશના પ્રવાસનક્ષેત્રનો ઉલ્લેખ કરતાં સુધા મૂર્તિએ કહ્યું હતું કે લોકો અજંતા, ઈલોરા અને તાજમહેલની મુલાકાત લે છે, પરંતુ ભારતમાં 42 એવી હેરિટેજ સાઇટ્સ છે, જેનો ન તો વધુ પ્રચાર કરવામાં આવ્યો છે અને ન તો લોકો એમના વિશે જાણે છે. આ આપણો દેશ છે, આપણે એની સંસ્કૃતિ વિશે જાણવું જોઈએ, જેનો ખૂબ જ ભવ્ય ઈતિહાસ છે. ત્રિપુરામાં ઉનાકોટી વિશે કોઈ જાણતું નથી, જ્યારે આ સ્થળ 12,500 વર્ષથી વધુ જૂનું છે. કાશ્મીરના મુગલ ગાર્ડન હેરિટેજ સાઈટમાં સામેલ નથી. સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.