બાલાસિનોર બસ સ્ટેશનમાં ખાડા પડી જતાં અને સળિયા નીકળી જતાં પરેશાની - At This Time

બાલાસિનોર બસ સ્ટેશનમાં ખાડા પડી જતાં અને સળિયા નીકળી જતાં પરેશાની


બાલાસિનોર બસ સ્ટેશનમાં ખાડા પડી જતાં અને સળિયા નીકળી જતાં પરેશાની

બસ સ્ટેશનની એન્ટ્રી ગેટ ઉપર જ ખાડા રાજ

સતત બસોની અવરજવર રહેતી હોય ટાયર પંચર થઈ જવાની ભિતી, મુસાફરો પણ પરેશાન

બાલાસિનોર : એસટી અમારી સલામત સવારી ના સુત્રો વચ્ચે બાલાસિનોર એસટી ડેપોમાં ખાડા પડી
ગયા છે અને સળિયા બહાર નીકળી જતાં અવરજવર કરતી બસો પંકચર થઈ જાય તેવી સ્થિતિનું
નિર્માણ થયું છે. ત્યારે આ ખાડા જોખમી બને તે પહેલા સમારકામ કરી દેવાય તેવી મુસાફરો માગણી કરી
રહ્યા છે.

બાલાસિનોર એસટી ડેપોમાં બસોની અવરજવર રહે છે તેમજ મુસાફરો પર અવરજવર કરતા હોય છે.
એસ.ટી ડેપોના પ્રવેશમાં જ જોખમી ખાડાને કારણે મુસાફરોને મુશ્કેલીઓ ગોઠવી પડે છે. ડેપોમાં ખાડા
પડી જવા ઉપરાંત સળિયા પણ દેખાઈ ગયા છે જેના કારણે અવરજવર કરતા લોકોને જોખમ રહેલું છે.
એસટી બસ ખાડામાં પડે તો સળીયાને કારણે પંચર થઈ જવાનો પણ ભય રહેલો છે. જો સમય સમારકામ
કરવામાં નહીં આવે તો મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે

રીપોરટર ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.