વિશ્વ હિંદુ પરિષદ - બજરંગ દળ, તલોદ પ્રખંડ દ્વારા મામલતદાર શ્રી, તલોદ ને આવેદનપત્ર આપવામાં આવ્યું. - At This Time

વિશ્વ હિંદુ પરિષદ – બજરંગ દળ, તલોદ પ્રખંડ દ્વારા મામલતદાર શ્રી, તલોદ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.


*વિશ્વ હિંદુ પરિષદ - બજરંગ દળ, તલોદ પ્રખંડ દ્વારા મામલતદાર શ્રી, તલોદ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

જમ્મુ કાશ્મીરમાં ધાર્મિક યાત્રાએ નિકળેલ શ્રધ્ધાળુઓ ઉપર આતંકવાદીઓ દ્વારા બસને ટાર્ગેટ કરી શ્રધ્ધાળુઓ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં ૧૦, શ્રધ્ધાળુઓ મૃત્યુ પામ્યા તથા અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ છે જેના વિરોધમા વિશ્વ હિંદુ પરિષદ - બજરંગ દળ, તલોદ પ્રખંડ દ્વારા મામલતદાર શ્રી, તલોદ ને આવેદનપત્ર દિ. ૧૪-૬-૨૦૨૪ ને શુક્રવારે તલોદને આપવામાં આવ્યું.
આ પ્રસંગે તલોદ પ્રખંડ પ્રમુખ શ્રી ટીનુભા ઝાલા, મંત્રી શ્રી જૈમિનભાઈ પટેલ, વિભાગ સમરસતા પ્રમુખ શ્રી નટુભાઈ બારોટ, શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી હનુમાન નાથજી, તલોદ શહેર ભાજપાના પ્રમુખ શ્રી દામોદરભાઈ પટેલ, મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, ડેલીગેટ શ્રી દિનેશભાઈ પટેલ, હરસોલ ડે. સરપંચ શ્રી હરેશભાઈ પટેલ, શ્રી જે. પી. પરમાર, શ્રી આયૅરાજસિંહ, શ્રી ઋષિરાજસિંહ, શ્રી ગૌરવ જોષી, શ્રી યશપાલ રાવળ, શ્રી રામાભાઈ રાવળ, શ્રી મિતુલ શાહ, શ્રી નિલય પ્રજાપતિ, શ્રી કરણભાઈ શાહ વગેરે કાયૅકરો હાજર રહ્યા હતા.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.