માનવ સેવા એજ પ્રભુ સેવા” નો જીવંત દાખલો: સલીમશા બેલીમ દ્વારા મજૂરોને તરબૂચનું વિતરણ
(રિપોર્ટ મકવાણા કનૈયાલાલ)
સમાચાર વિગતવાર:
તરેડ ગામમાં ચાલી રહેલા રાહતકામ દરમિયાન એક અત્યંત સ્પર્શક દ્રશ્ય સામે આવ્યું છે, જેમાં માનવતાની ભાવનાથી ઊભરાતું સેવાકાર્ય દરેકના દિલને સ્પર્શી ગયું"માનવ સેવા એજ પ્રભુ સેવા"ના પાવન સૂત્રને અનુસરતા આજ રોજ સલીમશા બેલીમ દ્વારા રાહતકામમાં જોડાયેલા તમામ મજૂરોને ઠંડા અને રસાળ તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું ઉનાળાની તપશમાં કામ કરતા મજૂરો માટે આ એક આશીર્વાદ સમાન અનુભવ રહ્યો.
સલીમશા બેલીમની આ સેવાભાવનાથી ભરેલી પહેલ સમગ્ર સમાજ માટે એક નિર્મલ ઉદાહરણરૂપ છે કે જ્યારે પણ માનવતાની જરૂર હોય ત્યારે એક બીજાની મદદ માટે આગળ આવવું એ જ સાચો ધર્મ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
