નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ) : ભરૂચ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય બ્રિજેશ પટેલની ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે નિમણૂંક.
નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ) : ભરૂચ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય બ્રિજેશ પટેલની ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે નિમણૂંક.
નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઈ.ટી.સેલ) ના ભરૂચ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ કારોભારી સભ્ય બ્રિજેશકુમાર ભરતભાઈ પટેલ ની ગુજરાત પ્રદેશ મંત્રી પદે નિમણૂક થતા આનંદ લાગણી ફરી વળી છે.
ગુજરાત રાજ્યના નાના છેવાડા ના ગામડાઓ સુધીના પ્રત્યેક વ્યક્તિને સરકારી યોજનાઓનો લાભ મળે તેમજ સામાજિક રીતે લોકોને મદદરૂપ થવાના હેતુ થી કાર્ય કરતું નરેન્દ્ર મોદી વિચાર મંચ છેલ્લા ઘણા વર્ષો થી ભરૂચ જિલ્લામાં કાર્યરત છે. આ મંચ ચકી અત્યાર સુધી અનેક અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને મંચ ના સક્રિય રહેલા સભ્યો રાત દિવસ મદદ રૂપ થઈ રહ્યા છે. તા.૦૨/૦૯/૨૦૨૦માં બ્રિજેશકુમાર પટેલની નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ)માં નેત્રંગ તાલુકામાં પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
આ મંચ માં તાલુકા પ્રમુખ પદે સેવા આપનાર બ્રિજેશ કુમાર પટેલને તેઓના સેવાથી પ્રભાવિત થઈ સંગઠન દ્વારા તેઓને જિલ્લા ના પ્રમુખ, પ્રદેશ કારોબારી સભ્ય પદે પણ નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઇ.ટી.સેલ) દ્વારા તેઓને તારીખ ૦૬/૦૪/૨૦૨૫ ના રોજ ગુજરાત પ્રદેશ મંત્રી પદે નિમણૂક કરવામાં આવતા તેઓના સમર્થકો અને સ્થાનિક જનતામાં ખુશીનો માહોલ છવાયો છે.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
