નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારની મુશ્કેલીઓ વધી:રાહુલ-સોનિયા સામે EDની પહેલી ચાર્જશીટ દાખલ; જમીન કૌભાંડમાં પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાની પૂછપરછ - At This Time

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારની મુશ્કેલીઓ વધી:રાહુલ-સોનિયા સામે EDની પહેલી ચાર્જશીટ દાખલ; જમીન કૌભાંડમાં પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાની પૂછપરછ


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી. આમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને સુમન દુબેના નામનો સમાવેશ થાય છે. આ કેસની સુનાવણી 25 એપ્રિલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. કોર્ટે ED પાસેથી આ મામલાની કેસ ડાયરી પણ માગી છે. 2012માં ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ આ મામલે સોનિયા, રાહુલ અને તેમની સહયોગી કંપનીઓ સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. 12 એપ્રિલ, 2025ના રોજ તપાસ દરમિયાન ટાંચમાં લેવાયેલી મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. EDએ દિલ્હી, લખનઉ અને મુંબઈમાં 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતોનો કબજો લેવા માટે નોટિસ જારી કરી હતી. મંગળવારે સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં તેમની ગુરુગ્રામના શિકોપુર જમીનકૌભાંડમાં પૂછપરછ કરવામાં આવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો... કોંગ્રેસે કહ્યું- આ પીએમ મોદીની બદલાની રાજનીતિ છે
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું છે કે આ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરફથી બદલાની રાજનીતિ છે. નેશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત કરવી એ કાયદાના શાસનનો ઢોંગ કરીને રાજ્ય પ્રાયોજિત ગુનો છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કેટલાક અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરવી એ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરફથી બદલાની રાજનીતિ અને ધાકધમકી સિવાય બીજું કંઈ નથી. જોકે કોંગ્રેસ અને તેનું નેતૃત્વ ચૂપ રહેશે નહીં. સત્યમેવ જયતે. શુક્રવારે, દિલ્હીમાં હેરાલ્ડ હાઉસ (5A, બહાદુર શાહ ઝફર માર્ગ), મુંબઈમાં બાંદ્રા (પૂર્વ) અને લખનઉમાં વિશ્વેશ્વર નાથ રોડ પર AJL ઇમારતો પર નોટિસ ચોંટાડવામાં આવી હતી. 661 કરોડ રૂપિયાની આ સ્થાવર મિલકતો ઉપરાંત નવેમ્બર 2023માં ED દ્વારા AJLના 90.2 કરોડ રૂપિયાના શેર જપ્ત કરવામાં આવ્યા હતા, જેથી ગુનાની રકમ સુરક્ષિત કરી શકાય અને આરોપીઓને એને વેચી ન શકાય. સોનિયા-રાહુલની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી
જૂન 2022માં નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની 5 દિવસમાં 50 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ 21 જુલાઈ, 2022ના રોજ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની 3 દિવસમાં 12 કલાક પૂછપરછ કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન તેમને 100થી વધુ સવાલો પૂછવામાં આવ્યા હતા. જૂન મહિનામાં પાંચ દિવસમાં ED દ્વારા રાહુલ ગાંધીની પણ 50 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ 2012માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિઝ, સામ પિત્રોડા અને સુમન દુબે પર છેતરપિંડી અને નાણાકીય ઉચાપત દ્વારા ખોટમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ અખબારને હડપ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપ મુજબ કોંગ્રેસના નેતાઓએ નેશનલ હેરાલ્ડની મિલકતો પર કબજો કરવા માટે યંગ ઈન્ડિયન લિમિટેડ ઓર્ગેનાઈઝેશનની રચના કરી અને તેના દ્વારા ગેરકાયદે રીતે એસોસિયેટેડ જર્નલ લિમિટેડ (AJL) હસ્તગત કરી, જે નેશનલ હેરાલ્ડ પ્રકાશિત કરે છે. સ્વામીએ આરોપ લગાવ્યો કે દિલ્હીના બહાદુર શાહ ઝફર માર્ગ પર સ્થિત 2000 કરોડ રૂપિયાના હેરાલ્ડ હાઉસ બિલ્ડિંગ પર કબજો કરવા માટે આ કરવામાં આવ્યું હતું. સ્વામીએ 2,000 કરોડ રૂપિયાની કંપની માત્ર 50 લાખ રૂપિયામાં ખરીદવા બદલ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને આ કેસમાં સામેલ અન્ય વરિષ્ઠ કોંગ્રેસનેતાઓ સામે ફોજદારી કાર્યવાહીની માગ કરી હતી. જૂન 2014માં કોર્ટે સોનિયા, રાહુલ અને અન્ય આરોપીઓ સામે સમન્સ જારી કર્યા. ઓગસ્ટ 2014માં EDએ આ મામલે કાર્યવાહી કરી અને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. ડિસેમ્બર 2015માં દિલ્હીની પટિયાલા કોર્ટે સોનિયા અને રાહુલ સહિત તમામ આરોપીઓને જામીન આપ્યા. ED ચાર્જશીટમાં સોનિયા ગાંધી આરોપી નંબર એક અને રાહુલ આરોપી નંબર બે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image