2024માં 10.53 લાખ મુસાફરોની અવરજવર, છેલ્લા 3 માસમાં 3.17 લાખ પેસેન્જર્સની હવાઈ સફર
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે સ્થિત હિરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ જુલાઇ, 2023 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જે બાદ સપ્ટેમ્બર, 2023 થી ફલાઇટની ઉડાન શરૂ થઈ હતી. તે વખતે ત્યાં હંગામી ટર્મિનલ હતું. જોકે હવે અહીં આધુનિક ટર્મિનલ પણ ધમધમતું થઈ ગયું છે, ત્યારે આ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામે 1 મિલિયન મુસાફરોની અવરજવરનો રેકૉર્ડ પ્રસ્થાપિત થયો છે. જે રાજકોટવાસીઓ માટે પણ ગર્વ રૂપ બાબત છે. શરૂઆતમાં એવી ચર્ચા હતી કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ શહેરથી 35 કિલોમીટર દૂર હોવાથી હવાઇ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થશે, પરંતુ મુસાફરોની સંખ્યામાં વધારો થતા ઇન્ટરનેશનલ એરપોર્ટને સારો પ્રતિસાદ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. હજૂ આ એરપોર્ટ ઉપરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરે તેવી રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓની માંગણી અધૂરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
