સુરાપુરાની ખાંભી પર અજાણ્યા ઇસમો દ્વારા ઓઇલ નાખવામાં આવ્યું - At This Time

સુરાપુરાની ખાંભી પર અજાણ્યા ઇસમો દ્વારા ઓઇલ નાખવામાં આવ્યું


સુરાપુરાની ખાંભી પર અજાણ્યા ઇસમો દ્વારા ઓઇલ નાખવામાં આવ્યું

આ સુરાપુરા દાદાની ખાંભી પર ઓઇલ નાખનાર નરાધમ ઇસમને પકડી તેના પર કાર્યવાહી કરવાની દેવીપુજક સમાજની માંગ.બોટાદ તાલુકાના શિરવાણીયા ગામે દેવીપુજક સમાજના સુરાપુરા દાદાની ખાંભી ગામની સીમમાં આવેલ છે.અને આ જગ્યાએ દર્શન માટે અને સમાજના રિવાજ માટે આવે છે. આ સૂરાપુરા દાદાની ખાંભી અંગે દેવીપુજક સમાજ ખૂબજ ધાર્મિક લાગણી ધરાવે છે.તા 6 ડિસે.ના રોજ આ દેવીપુજક સમાજના સુરાપુરાની ખાંભી પર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઓઇલ નાખવામાં આવતા સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.