રાજકોટ શહેરમાં ટીબીના દર્દીઓને કરાયું પોષણકીટનું વિતરણ. - At This Time

રાજકોટ શહેરમાં ટીબીના દર્દીઓને કરાયું પોષણકીટનું વિતરણ.


રાજકોટ શહેરમાં ટીબીના દર્દીઓને કરાયું પોષણકીટનું વિતરણ.

રાજકોટ શહેર તા.૨૪૬૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં ટીબીના જરૂરિયાતમંદ ૨૧ દર્દીઓને પોષણ આહાર કિટ વિતરણનો કાર્યક્રમ જિલ્લા ક્ષય કેન્દ્ર રાજકોટ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં સ્નેહ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દર્દીઓને પોષણકીટ આપવામાં આવી હતી. રાજકોટ ટીબી સેન્ટરના જિલ્લા ક્ષય અધિકારી ડૉ.ઘનશ્યામ મહેતાના માર્ગદર્શનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની કીટ દાતાઓ તૃપ્તિબેન ચોકસી, પ્રીતિબેન અને સકુબેન તરફથી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્નેહ ફાઉન્ડેશનના અનીતાબેન અને ભરતભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડૉ.લક્કડ તથા ડૉ.વાછાણીએ બધા જ દર્દીઓને નિયમિત સારવાર લેવા માટે સમજાવ્યા હતા.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.