રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તહેવાર નિમિત્તે જાહેરનામું પ્રસિધ્ધ. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તહેવાર નિમિત્તે જાહેરનામું પ્રસિધ્ધ.


રાજકોટ શહેર તા.૨૯/૩/૨૦૨૫ ના રોજ આગામી તા.૬/૪/૨૦૨૫ ના રોજ "રામનવમી" નિમિત્તે તથા તા.૧૦/૪/૨૦૨૫ ના રોજ “મહાવીર જયંતી" નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી.જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ-૩૨૯ અને ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image