અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા ની મુલાકાત લેતા જુનાગઢ મહાનગરપાલિકા ના નવ નિયુક્ત મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા
અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા ની મુલાકાત લેતા
જુનાગઢ મહાનગરપાલિકા ના નવ નિયુક્ત મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા
જૂનાગઢ જિલ્લા ના સમઢીયાળા શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર બાળકોની સંસ્થા મેંદરડા ના સમઢીયાળા રોડ પર કાર્યરત છે આ સંસ્થામાં ૨૧ જેટલા અતિ ગંભીર દિવ્યાંગો રહેશે આજરોજ જુનાગઢ મહાનગરપાલિકાના નવ નિયુક્ત મેયર શ્રી ધર્મેશભાઈ ખાસ આ સંસ્થાને મુલાકાત માટે જ પધારેલ હતા સંસ્થાના બાળકો સાથે સમય પસાર કરી અને સંસ્થા તથા બાળકો વિશે માહિતી મેળવી હતી સંસ્થાની સ્વચ્છતા અને સુઘડતા તથા સંસ્થામાં રાખવામાં આવેલ બાળકોની દેખરેખ થી અભિ થયેલ હતા અને સંસ્થાનું પ્રાકૃતિક વાતાવરણ ખૂબ જ સુંદર છે તેવું જણાવેલ હતું આ તકે ધર્મેશભાઈ જણાવેલ કે ખરેખર માનવસેવા એ જ પ્રભુ સેવા ના સૂત્રને સાર્થક કરતી આ સંસ્થા આવા અતિગંભીર દિવ્યાંગો કે જેમને પોતાની દૈનિક ક્રિયાઓ નું પણ ભાન નથી. એવા બાળકોને ખૂબ જ સારી રીતે સંભાળ રાખી રહી છે આ માટે તેમણે સંસ્થાના સંચાલક મંડળને ખૂબ જ શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાને જ્યારે પણ કોઈ જરૂર પડે ત્યારે મદદ કરવાની ખાતરી આપી હતી
આ તકે સંસ્થાના સંચાલક શ્રી કૌશિકભાઇ જોશી એ ધર્મેશભાઈ પોશિયા નો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આ દિવ્યાંગ બાળકોને આવો જ પ્રેમ અને હુંફ મળતી રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી તેમ સંસ્થાના સંચાલક શ્રી કૌશિકભાઈ જોશી ની યાદીમાં જણાવવામાં આવેલ છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
