ભાવનગર શિશુવિહાર બુધસભા ની ૨૩૩૪ ની બેઠક માં મધુ રાય ઉપસ્થિતિ માં યોજાય
ભાવનગર શિશુવિહાર બુધસભા ની ૨૩૩૪ ની બેઠક માં મધુ રાય ઉપસ્થિતિ માં યોજાય
ભાવનગર શિશુવિહાર બુધસભાની ૨૩૩૪ મી બેઠક તારીખ ૯/ ૪/૨૫ ના રોજ વિશેષ ઉપક્રમ સાથે યોજાઇ. પ્રખ્યાત લેખક, નાટ્યકાર અને કલમવીર શ્રી મધુ રાય આજે બુધસભા ના મહેમાન હતા. શિશુવિહારના મંત્રી ડો. નાનકભાઈ ભટ્ટ દ્વારા તેમનું પુસ્તકની થેલી, ચિત્ર તથા ખેસ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. પ્રા.ડો.મહેન્દ્રસિંહ પરમાર દ્વારા શ્રી મધુ રાય નો પરિચય આપવામાં આવ્યો. શ્રી મધુ રાયએ ભાવકો સાથે સ્વાભાવિક ક્રમમાં અને સંવાદના માધ્યમથી પોતાની વાત રજૂ કરી. ભાવકોએ પણ પ્રશ્નોત્તરીમાં ઉમળકા ભેર ભાગ લીધો. ડો. નાનકભાઈ ભટ્ટ દ્વારા આભાર વિધિ કરવામાં આવી.આજની બુધસભામાં 65 જેટલા ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન શ્રી પરેશભાઈ ત્રિવેદી એ કર્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
