માનવસેવા એ જ પ્રભુ સેવા સાર્થક કરતું કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ અને શંકરા આઈ હોસ્પિટલ આણંદના સહયોગથી મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન દેલવાડા મુકામે કરવામાં આવ્યું.
*"માનવસેવા એ જ પ્રભુ સેવા" ને સાર્થક કરતું "કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ" દ્વારા અને શંકરા આઇ હોસ્પિટલ આણંદ ના સહયોગથી મેગા નેત્ર નિદાન કેમ્પનું આયોજન, દેલવાડા ઉના માં,*
આ નેત્ર નિદાન કેમ્પ માં ૧૫૦ થી વધારે દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને ૪૦ થી વધારે મોતિયા,વેલ,નું ઓપરેશન કરવા રવાના થયા તથા ૧૫૦ વધારે દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી..
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માટે જીવનદાન સ્વરૂપ સેવાની જ્યોત ચાલુ રાખનાર "કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ"અને શંકરા આઈ હોસ્પિટલ આણંદના સહયોગથી મેગા નેત્ર નિદાન કેમનું આયોજન ઉના તાલુકાના દેલવાડા ગામે કરવામાં આવ્યું...
કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દેલવાડા -ઉના દ્વારા દર મહિનાની 8 તારીખે શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ અને આઈ શંકરા હોસ્પિટલ આણંદના સહયોગથી નેત્ર યજ્ઞ વિનામૂલ્યે સાતમા નેત્ર નિદાન કેમ્પ આયોજન થયું તેમાં પણ જરૂરિયાત મંદ લોકોએ આ સેવાનો લાભ લિધો હતો...
જેમાં ૪૦ થી વધુ દર્દીઓ ને સારવાર માટે શંકરા આઈ હોસ્પિટલ દ્વારા વાહન મારફતે આણંદ હોસ્પિટલ ખાતે લઇ જવા લાવવા ની તથા સારવાર અને ભોજન ની નિઃશુલ્ક સુવિધા ઓ અપાઈ હતી ...
તેમજ કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકો ને વધુને વધુ ઉપીયોગ થવા માટે ભૂખ્યા ને ભોજન અને "અન્નદાન એ મહાદાન" ની ઉકિત સાર્થક કરતું શ્રી કુબાવત
ચેરીટેબલ ટ્રસ્ટ દેલવાડા- ઉના દ્વારા આજરોજ થી ભૂખ્યાને ભોજનની સેવા ચાલુ છે.તેમાં રોજના ૫૦ વધારે નિરાધાર લોકોને ભોજન સેવા નિશુલ્ક મળી રહી છે.
કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય તેમાં ભૂખ્યાને ભોજન ની વ્યવસ્થા અવિરત ચાલુ જ છે ત્યારે કોઈ જરૂરિયાત મંદ અને નિરાધાર લોકોને ભોજન ની વ્યવસ્થા ચાલુ જ છે.તેમજ ટ્રસ્ટ દ્વારા નિરાધાર અને ગરીબ વ્યક્તિઓના બીમારીને લગતા અનેક ઓપરેશનો પણ વિના મૂલ્યે કરાવી આપેલ છે. આ સેવાકિય પ્રવૃત્તિને કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરકિશનભાઈ આઈ. કુબાવત ને અનેક લોકોએ શુભેચ્છા પણ પાઠવી હતી.અને આ સેવાકિય પ્રવુતિ હર હંમેશા અવિરત ચાલુ રહે તે માટે આપ સૌ સહયોગ અને સાથ સહકાર આપતા રહેશો એવી આશા સાથે આ ભગીરથ કાર્યમાં જે લોકો શ્રમદાન કરેલ છે.તે લોકોનો આભાર માનેલ છે.
રિપોર્ટર:- માવજી વાઢેર ઉના ગીર સોમનાથ
7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે
