National Science Day : કેમ મનાવવામાં આવે છે નેશનલ સાયન્સ ડે, જાણો ઈતિહાસ, મહત્વ
આજે આપણી આસપાસ જે પણ સુખ-સુવિધાઓ ઉપલબ્ધ છે, તે બધી વિજ્ઞાનને આભારી છે. વિજ્ઞાને મનુષ્યને દુ:ખમાંથી મુક્ત કરવામાં, અજ્ઞાનતા દૂર કરવામાં અને મુશ્કેલીઓ ઓછી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઘર હોય, કારખાનું હોય, ખેતર હોય, જીવનના દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનની ભૂમિકા અજોડ છે. જમીનથી લઈને આકાશ સુધી વિજ્ઞાનના લાખો ચમત્કારો છે.
ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ લોકોમાં વિજ્ઞાન અને તેના પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે.આ દિવસ વિજ્ઞાનના મહત્વ અને લોકોના જીવનને સુધારવામાં તેની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.
ભારતીય ભૌતિકશાસ્ત્રી સર ચંદ્રશેખર વેંકટ રામને કરેલી શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચંદ્રશેખર વેંકટા રમનને તેમની વિશેષ શોધને કારણે 1930માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે વિવિધ થીમ સાથે ઉજવવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
