જસદણ ઘેલા સોમનાથ મંદિરે મહાશિવરાત્રીને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટીયુ - At This Time

જસદણ ઘેલા સોમનાથ મંદિરે મહાશિવરાત્રીને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટીયુ


(રિપોર્ટ વિજય ચાંવ)
જસદણના ઘેલા સોમનાથ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે હજારો ભક્તોએ મહા આરતી અને દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં જસદણ આસ્થા સ્કૂલ, જેપીએસ સ્કૂલ અને યશોદા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમા વીંછીયા મામલતદાર, જસદણ મામલતદાર સહિત મંદિરના ટ્રસ્ટીઓ ખાસ ઊપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image