નવા ઉંટરડા ગામે મર્ડરની ઘટના બની. - At This Time

નવા ઉંટરડા ગામે મર્ડરની ઘટના બની.


અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નવા ઉંટરડા ગામે હત્યા થયાનો મામલો સામે આવ્યો છે.બાયડ તાલુકાના આંબલીયારા પાસે આવેલ નાનકડુ ગામ નવા ઉંટરડા માં દિપેશ્વરી ધામ તરીકે પ્રખ્યાત માતાજીના મંદિર વાડા ગામમાં હત્યાનો મામલો સામે આવ્યો છે.હત્યાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.જાણવા મળેલ અનુસાર નવા ઉંટરડા ગામે રહેતા નિવૃત્ત શિક્ષકે આ હત્યા કરી હતી. નિવૃત્ત શિક્ષકે પોતાની પત્નીની જ કોઈક કારણ વશ હત્યા કરી પોતે આપધાત કરી લીધો હતો. પત્ની કુસુમબેનના શરીરના ભાગે ધારદાર વસ્તુ થી હત્યા કરી હોય તેવા નિશાન જોવા મળ્યા હતા.કયા કારણોસર આ નિવૃત્ત શિક્ષકે પત્નીની હત્યા કરી છે તે તપાસ પોલીસ ચલાવી રહી છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.