જાયન્ટ્સ હિંમતનગર દ્વારા સેવા વસ્તીમાં ધાણી,ખજૂર અને પિચકારીનું વિતરણ............. - At This Time

જાયન્ટ્સ હિંમતનગર દ્વારા સેવા વસ્તીમાં ધાણી,ખજૂર અને પિચકારીનું વિતરણ………….


જાયન્ટ્સ હિંમતનગર દ્વારા સેવા વસ્તીમાં ધાણી,ખજૂર અને પિચકારીનું વિતરણ.............
આજરોજ જાયન્ટ્સ હિંમતનગર દ્વારા મોતીપુરા વિસ્તારમાં આવેલા રામેશ્વર મંદિરની સામેની સેવા વસ્તીમાં ગરીબ બાળકોને હોળી અને ધુળેટી નિમિત્તે ધાણી,ખજૂર અને પિચકારીનું વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી પંકજભાઈ મહેતા તથા ઉપપ્રમુખશ્રી ચિરાગભાઈ શાહ એ આર્થિક ફાળો આપ્યો. મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા. આ ઉપરાંત ગ્રુપના સભ્યો ઉપપ્રમુખ જયદીપસિંહ રહેવર, મંત્રી મહેશભાઈ ભટ્ટ, સહમંત્રી ધીરુભાઈ પંચાલ, ખજાનચી અક્ષયકુમાર પંચાલ તથા કારોબારી સભ્યો મેહુલભાઈ પટેલ, સંદીપભાઈ જોષી, કાંતિભાઈ પંચાલ હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.