જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા મમતા શિશુ મંદિરના બાળકોને એક દિવસનો પ્રવાસ કરાવ્યો.... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા મમતા શિશુ મંદિરના બાળકોને એક દિવસનો પ્રવાસ કરાવ્યો….


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા મમતા શિશુ મંદિરના બાળકોને એક દિવસનો પ્રવાસ કરાવ્યો....
હિંમતનગરમાં આવેલી મમતા શિશુ વિદ્યામંદિર ના વિકલાંગ બાળકોને જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા બાળકોને બેરણા મુકામે એક દિવસના પ્રવાસમાં લઈ ગયા. આ બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી તેમજ બપોરનું ભોજન પણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી, ઉપપ્રમુખ કામિનીબેન સુતરીયા, ખજાનચી રિદ્ધિબેન આચાર્ય, ઇન્દુબેન, સજ્જનબેન, રીટાબેન, મંજુલાબેન, બીનાબેન, ગીતાબેન, મીનાબેન, રેખાબેન તથા શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા. આ સાથે બાળકો અને બહેનોએ સાથે મળી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી તેમજ હેપીનેસ ડે પણ ઉજવ્યો અને બાળકો સાથે ખૂબ આનંદથી સમય પસાર કર્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.