સાયલા એફપીએસ દુકાનદારો દ્વારા કેરીબેગ નું વિતરણ કરાયું - At This Time

સાયલા એફપીએસ દુકાનદારો દ્વારા કેરીબેગ નું વિતરણ કરાયું


સાયલા મામલતદાર ની સૂચના હેઠળ દરેક ગામડાઓમાં કેરીબેગ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તાલુકાના દરેક ગામડાઓની સસ્તા અનાજ ની દુકાને થી લાભાર્થીઓને કેરીબેગ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાયલા સસ્તા અનાજ ની દુકાનદાર ના પ્રમુખ વિષ્ણુભાઈ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવેલ કે હાલ તાલુકામાં દરેક દુકાનદાર કેરીબેગ વિતરણ કરી રહ્યા છે.અત્યાર સુધીમાં ૬૦ ટકા જેટલું વિતરણ થઈ ગયું છે. લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.