પાણી પુરવઠામંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી:કુંવરજીભાઈ બાવળીયાએ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના કામો અંતર્ગત રીવ્યુ બેઠક યોજી - At This Time

પાણી પુરવઠામંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી:કુંવરજીભાઈ બાવળીયાએ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના કામો અંતર્ગત રીવ્યુ બેઠક યોજી


જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને નાગરિક પુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જીએચસીએલ ગેસ્ટહાઉસ સંજય નગર સુત્રાપાડા ખાતે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગ કામો અંતર્ગત અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરી હતી. આ રીવ્યુ બેઠકમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જૂથ યોજનાના પ્રગતિ હેઠળના કામોનો રીવ્યુ કરવામાં આવ્યો હતો. જૂથ યોજનાઓ અંતર્ગત પ્રગતિમાન કામોની અંગેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.