જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો........... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો………..


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો...........
હિંમતનગરના મહાવીર નગર સર્કલ પાસે જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા શહીદ દિન નિમિત્તે પુલવામાં શહીદ થયેલા વીરશહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો. જેમાં હિંમતનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યતીનબેન મોદીએ હાજરી આપી શહીદો વિશે પ્રવચન આપ્યું. બધી બહેનોએ શહીદોના ફોટાને શ્રદ્ધાંજલિ આપી અને ફુલહાર કર્યા. આ કાર્યક્રમમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયરના પ્રમુખશ્રી સોનલબેન મહેતા, મંત્રીશ્રી રાજેશ્રીબેન ત્રિવેદી, દીનાબેન, રિધ્ધીબેન, કામિનીબેન, બીનાબેન, મંજુલાબેન, ઈલાબેન, સજ્જનબેન, પૂર્વીબેન, ગીતાબેન, શ્રેયાબેન, ફાલ્ગુનીબેન, મીનાબેન સાધુ, કિંજલબેન, મીનાક્ષીબેન સહિત મોટી સંખ્યામાં બહેનો હાજર રહી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.