માળીયા હાટીનાના સેવાભાવી નવયુવાનનું જન્મદિવસે મોત - At This Time

માળીયા હાટીનાના સેવાભાવી નવયુવાનનું જન્મદિવસે મોત


નવ યુવાનની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાનેથી 11.15 કલાકે નીકળશે તેમનું ઉઠમણું 5.12.22 ના સાંજે 5 થી 6 જૈન ઉપાશ્રય ગીર દરવાજા પાસે રાખેલ છે

માળીયા હાટીનાના રહેવાસી મેજીક ગાડીનું ડ્રાવિંગ કરતા અવનીશભાઈ કોઠારીનો એકનોએક દીકરો કોરોના કાળ માં અવિરત સેવાકરતો અને દરેકના સુખ દુઃખમાં ભાગ લેનાર સેવાભાવી નવયુવાન જેનિષ અવનીશભાઈ કોઠારીનો ઉ. વ. 21 પોતાના જન્મ દિવસના દિવસે મોડી રાતે પોતાની ઘરે જવા માટે ભંડુરી થી ગળોડર ની વચ્ચે રોંગ સાઈડમાં આવતા અજાણ્યા વાહને ઠોકર મારતા અકસ્માત થતા સારવાર અર્થે 108 મારફતે માળીયા હાટીના સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવતા ફરજના અધિકારી કેશોદ રીફર કરાવતા તેમનું રસ્તામાં મોત થયેલ ત્યારે નવયુવાન નું પી.એમ માટે સરકારી હોસ્પિટલ ખસડેલ આ સમાચાર પરિવારમાં અને માળીયા હાટીના શહેર વાયુ વેગે સમાચાર મળતા શોકનો માહોલ છવાયો હતો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.